ફિલ્મ જગત
News of Sunday, 10th November 2019

અર્જુન અને રકુલ પ્રીત બનશે ક્રોસ બોર્ડર પ્રેમીઓ

                   

                               ફોટોઃ અર્જુનકપુર અને રકુલ પ્રિતસિંહ

 

મુંબઇ ઃ બાટલા હાઉસ, સત્યમેવ જયતે, અને તેની સિકવલ બનાવ્યા બાદ હવે ફરી વાર ભૂષણકુમાર નિખીલ અડવાણી અને જોન અબ્રાહમ સાથે  મળીને નવી ફિલ્મ બનાવવા તૈયાર થયા છે. જેમાં અર્જુનકપુર અને રકુલ પ્રીતસિંહ અભિનય કરતા જોવા મળશે.

દિગ્દર્શક શશીલાલ નાયરની પુત્રી કાશ્ચી નાયર આ ફિલ્મનુ દિગ્દર્શન કરશે. કાશ્ચી અને તેની ટીમે ફિલ્મના લોકેશનની રેકી કરી લીધી છે.  ફિલ્મનુ શુંટીંગ પંજાબ અને લોસ એન્જલ્સમા થશે. અર્જુન અને રકુલ અનોખા લૂકમાં જોવા મળશે. અર્જુને જણાવેલ કે  મને કાશ્ચીએ  આ ફિલ્મની કથા સંભળાવી હતી ત્યારે જ મને તે સ્પેશ્યલ હોવાની જાણ થઇ હતી અન મેં તેને સ્વીકારી લીધી હતી.

(12:33 pm IST)