News of Thursday, 10th October 2019
બિહાર પૂર પીડિતોની મદદ માટે બિગ બીએ દાન કર્યા 51 લાખ
મુંબઈ: બિહારના પૂરથી લોકોને મદદ માટે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને સીએમ રિલીફ ફંડમાં 51 લાખ રૂપિયા દાન આપ્યા છે. સતત ચોમાસાના પૂરને કારણે બિહાર અને ઉત્તર પ્રદેશના લોકોને ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.ભારે વરસાદના કારણે બિહારમાં 73 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને પૂરથી હજારો લોકો પ્રભાવિત થયા છે. આ જોતા અમિતાભ બચ્ચન બિહારના લોકોની મદદ માટે આગળ આવ્યા છે. પૂરના કારણે બિહારના લગભગ 14 જિલ્લા પ્રભાવિત થયા છે.અમિતાભના પ્રતિનિધિ વિજય નાથ મિશ્રાએ આજે નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમારને મળ્યા અને સીએમ રિલીફ ફંડમાં રૂ. 51 લાખનો ચેક જમા કરાવ્યો. નાયબ મુખ્ય પ્રધાન સુશીલએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ચેક સાથેનો ફોટો પોસ્ટ કર્યો છે.
(5:04 pm IST)