ફિલ્મ જગત
News of Wednesday, 10th October 2018

રાધાકૃષ્ણની કહાની કહેતી વખતે ભાવુક થયો રવિ કિશન

ટીવી પરદે શરૂ થયેલા શો 'રાધાકૃષ્ણ'ને દર્શકો પસંદ કરી રહ્યા છે. આ શો સાથે ભોજપુરી અને બોલીવૂડ અભિનેતા રવિ કિશન પણ જોડાયો છે. તેણે કહ્યું હતું કે હું જ્યારે આ શોનું ડબિંગ કરી રહ્યો હતો ત્યારે એમ લાગ્યું હતું કે જાણે હું શ્રીકૃષ્ણના યુગમાં પહોંચી ગયો છું. આ શોમાં ભગવાન શ્રી કૃષ્ણએ લોકોને પ્રેમની પરિભાષા બતાવી છે. લોકોએ પ્રેમ પામવા માટે પ્રેમ કર્યો હતો, પણ ભગવાનશ્રી કૃષ્ણએ પ્રેમનો અર્થસમજાવવા માટે પ્રેમ કર્યો હતો. તેના પ્રેમમાં ત્યાગ હતો. રવિએ કહ્યું હતું કે હું મારી અસલી જિંદગીમાં પણ શ્રી કૃષ્ણને ખુબ માનુ છું. પ્રેમમાં હમેંશા આપવાનું હોય છે, પામવાનું નથી હોતું. શ્રીરાધાકૃષ્ણએ આ વાત પ્રેમ થકી દુનિયાને સમજાવી છે. આપણે જ્યારે પણ કોઇ સમસ્યામાં ઘેરાયા હોઇએ છીએ ત્યારે તેનો હલ ભગવત ગીતામાંથી મળી શકે છે. દિવ્યા દત્તા પણ રવિ કિશન સાથે વાર્તા સંભળાવવાના રોલમાં છે.

(9:21 am IST)