News of Monday, 10th September 2018
ટ્વિંકલ ખન્નાએ કહ્યું, ‘કાશ મારી મા હેમા માલિની હોત’
મુંબઈ :ટ્વિંકલ ખન્નાએ ‘ધ લેજેન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ' અને ‘મિસિઝ ફનીબોન' પ્રકાશિત કર્યા બાદ પોતાનું ત્રીજું પુસ્તક ‘પજામાઝ આર ફોરગિવિંગ' રજૂ કર્યું છે. આ તેણે પુસ્તક માતાને અર્પણ કરતા જણાવ્યું કે તેણે મને ક્યારેય કોઈ ક્ષેત્રે પ્રોત્સાહિત નથી કરી. તે હંમેશા મારી ખામીઓ શોધતી હતી. કાશ મારી મા હેમા માલિની હોત, કંઈ નહીં તો કેન્ટનું વોટર પ્યોરિફાયર તો ફ્રીમાં મળ્યું હોત.
(11:31 pm IST)