ભુલમાંથી જ શીખવા મળે છેઃ આલિયા
અભિનેત્રી આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માષા, રોકી ઓૈર રાની કી પ્રેમ કહાની આવી રહી છે. તે મા બનવાની હોઇ નવા પ્રોજેક્ટથી હાલ દૂર થઇ ગઇ છે. સોશિયલ મિડીયામાં એકટર્સને કોઇપણ વાતે ટ્રોલ કરવામાં આવી રહ્યા હોઇ તે વિશે આલિયાએ કહ્યું હતું કે હવે બોયકોટ્સનો જ બોયકોટ કરવાની જરૂર છે. સેલિબ્રિટીઝને સતત ટ્રોલ કરવામાં આવે છે. તેમની નાની-નાની બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. આલિયાનું કહેવું છે કે ભૂલમાંથી જ શીખવા મળે છે. ભૂલ કરવામાં મને કોઈ વાંધો નથી. હાલમાં તો જો તમે છીંક લો, શ્વાસ લો અથવા તો કારમાંથી પણ બહાર આવતા હો તો તમને ટ્રોલ કરવામાં આવે છે. એથી શું મારે ચિંતા કરવી જોઈએ? ના જરાય પણ નહીં. જો હું ભૂલ નહીં કરું તો એમાંથી હું કઈ રીતે શીખીશ? મને લાગે છે આપણે ‘કેન્સલ કલ્ચર'ને જ કેન્સલ કરવું જોઇએ. આલિયાની ડાર્લિંગ્સ હાલમાં જ રિલીઝ થઇ છે અને તેનો અભિનય લોકોએ ખુબ વખાણયો છે.