ગુરદિપ કોહલીને મળ્યો ખાસ રોલ
ટીવી અને ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી ગુરદીપ કોહલી હવે કલર્સ ચેનલના શો 'નાટી પિન્કી કી લંબી લવસ્ટોરી'માં ખાસ પાત્રમાં જોવા મળવાની છે. તેને આ શોમાં રામ કશ્યપ (વિશ્વજીત પ્રધાન)ની મહેમાનનો રોલ મળ્યો છે. જે પિન્કી (રિયા શુકલા)ની મદદ પણ કરતી જોવા મળશે અને તેની તરફેણમાં ઉભી રહેશે. ગુરદીપને સોૈ ચાહકો સંજીવની શોથી ઓળખે છે. છેલ્લે તે અલ્ટ બાલાજીની વેબ સિરીઝ કહેને કો હમસફર હૈ-૩માં જોવા મળી હતી. નાટી પિન્કી કી લંબી લવસ્ટોરીમાં લંબાઇમાં ખુબ નાની એવી પિન્કીના સપનાની વાત છે. આગામી ચોવીસ ઓગષ્ટથી નવો શો પીંજરા ખુબસુરતી કા શરૂ થઇ રહ્યો છે. આ કારણે નાટી પિન્કી કી લંબી લવસ્ટોરી, પવિત્ર ભાગ્ય, શુભારંભ સહિતના શોના સમયમાં ફેરફાર થશે. પવિત્ર ભાગ્ય ઓછી ટીઆરપીને કારણે બંધ થઇ જશે તેવી ચર્ચા પણ છે. કલર્સ પર નાગિન-૪ની જગ્યાએ ટૂંક સમયમાં નાગિન-૫ પણ શરૂ થશે.