હવે રા-વનની બનશે સિક્વલ
મુંબઈ:૨૦૧૧માં શાહરૃખ ખાનની સાઇ-ફાઇ ફિલ્મ 'રા વન રીલિઝ થઇ હતી. આ ફિલ્મમાં અભિનેતાએ રોબર્ટનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મની લિરિક્સની ચર્ચા બહુ થઇ હતી અને વખાણવામાં આવ્યું હતું.આ ફિલ્મના દિગ્દર્શક અનુભવ સિંહાએ જણાવ્યું હતુ તે અને શાહરૃખ સિકવલ માટે વિચારી રહ્યા છે. જોકે હજી કોઇ અઁતિમ નિર્ણય લેવાયો નથી. '' શાહરૃખ અને હું આ મુદ્દે વાત કરી રહ્યા હતા. જોકે હું નથી જાણતો કે ્આ શક્ય ક્યારે બનશે. હજી સુધી કાંઇ સ્પષ્ટ નથી. એક સાઇ-ફાઇ ફિલ્મ બનાવાનું કામ સરળ નથી હોતું. પરંતુ એક વાત ચોક્કસ છે કે અમે જ્યારે હળવી પળોમાં ડ્રિન્ક સાથે લેતા હોઇશું ત્યારે અમે અંતિમ નિર્ણય લઇ લેશું. કારણકે અમે બન્ને જણા આ સિકવલ માટે વિચારી રહ્યા છીએ, તેમ અનુભવ સિંહાએ જણાવ્યું હતું. ૨૦૧૫માં પણ કિંગ ખાને કહ્યું હતું કે, '' ૧૦૦ ટકા રા. વનની સિકવલ હું બનાવીશ, તેમાં કોઇ શક નથી. વ્યક્તિગત રીતે હું મારા સ્વપ્નને જતા કરનાર વ્યક્તિ નથી. પછી તે કેકેઆરની વાત હોય કે રા. વન. અમે આ ફિલ્મને શાનદાર બનાવશું. જોકે આ પ્રોજેક્ટ ક્યારે અમલમાં મુકાશે તે હજી ખબર નથી. તેના માટે ઉત્તમ તૈયારીની અને પ્લાનિંગ જરૃરી છે.