ફિલ્મ જગત
News of Wednesday, 10th February 2021

તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મામાં જેઠાલાલ અને બબીતા વચ્‍ચેના સંબંધ બગડયાઃ ફૂલનો બુકે પણ ફેંકી દીધો

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક ખુબજ પોપ્યુલર શો છે. આ શોના દરેક કેરેક્ટરની સ્ટોરી લોકોને યાદ હોય છે. જો તમે પણ આ શોના ચાહક છો તો તમારા માટે જેઠાલાલ અને બબીતાના કનેક્શન વિશે જાણવું જરૂરી છે. આ બંને વચ્ચે એક ખાટો-મીઠો સંબંધ છે, પરંતુ આ સમયે તેમના સંબંધને કોઈની નજર લાગી ગઈ છે.

જેઠાલાલ પર નારાજ બબીતા

બબીતાને જેઠાલાલ કેટલું પસંદ કરે છે તે જણાવવાની જરૂરિયાત નથી. પરંતુ એવું તો શું થયું કે, બબીતાએ જેઠાલાલને ઘરથી બહારનો રસ્તો બતાવ્યો. એટલું જ નહીં, બબીતાએ જેઠાલાલ દ્વારા આપવામાં આવેલા ફૂલના બુકેને પણ ફેંકી દીધો. જેઠલાલ માટે બબીતાની નારાજગી ચાહકોને કદાચ પસંદ આવશે નહીં.

જેઠાલાલ ન કરી શક્યા બબીતાની મદદ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આગામી એપિસોડમાં દર્શકોને જોવા મળશે કે, જેઠાલાલ અને બબીતા વચ્ચે મોટો ઝગડો થાય છે. બબીતા અને અય્યરને ઇમરજન્સીમાં કેટલાક ટેબલેટ્સ જોતા હતા. તેથી બબીતાએ જેઠાલાલ પાસે તે ટેબલેટ્સની માંગણી કરી હતી. પરંતુ જેઠાલાલ સમય પર તે ટેબ્સ બબીતા સુધી પહોંચાડી શક્યા નહીં.

બબીતાએ ગુસ્સામાં કર્યું આ કામ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળશે કે, બબીતાને જેઠાલાલ પર ખુબજ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં લાલ બબીતાએ જેઠાલાલને ઘરમાંથી બહારનો રસ્તો દેખાળ્યો. બબીતા માટે આ ટેબલેટ્સ સમય પર મળવા ખુબજ જરૂરી હતા. બબીતા અને અય્યરે જેઠાલાલને ગુસ્સામાં ખરી-ખોટી સંભળાવી હતી. એટલું જ નહીં જેઠાલાલે સોરી કહેવા માટે જે ફૂલનો બુકે બબીતાને આપ્યો હતો તે પણ બબીતાએ તેના ઘરની બહાર ફેંકી દીધો.

(5:07 pm IST)