અનિલ શર્માની ફિલ્મથી લાંબા સમય પછી ફિલ્મી પર્દે એન્ટ્રી કરશે આયશા ઝુલ્કા
મુબઇ: એક સમયે હિન્દી અને જગત પર રાજ કરનાર અભિનેત્રી આયશા ઝુલ્કા ફરી રૃપેરી પડદે આગમન કરવાની તૈયારી કરી રહી છે. આમિરખાનથી લઇને અક્ષયકુમાર જેવા દિગ્ગજ અભિનેતા સાથે કામ કરનાર આયેશા 'ગદર' ફિલ્મના નિર્માતા અનિલ શર્માની ફિલ્મમાં એક 'માતા'ની ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં આપેલ એક ઇન્ટરવ્યુમાં આયેશાએ જણાવ્યું કે તે ફિલ્મોમાં કમબેક કરવા માટે રાજી ન હતી પણ અનીલના કહેવાથી તે આ ભૂમિકા ભજવવા માટે તૈયાર થઇ ગઇ છે. અભિનેત્રીએ પોતાના પાત્ર વિશે વાત કરતા કહ્યું કે એનુ પાત્ર આત્મવિશ્વાસી અને ખુલ્લા વિચારો ધરાવતી મહિલાનું છે જે એની પુત્રી સાથે મિત્રતા જેવો સંબંધ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે આયેશાએ વર્ષો પહેલા બોલીવૂડ છોડીને પોતાનો વ્યવસાય સંભાળીલીધો હતો. એની શરૃઆતી કારકિર્દી દરમિયાન અક્ષય કુમાર સાથે એના અફેરની ચર્ચાએ ખુબ જોર પકડયું હતું. આ ઉપરાંત નાના પાટેકર અને મિથુન ચક્રવર્તી સાથે પણ અભિનેત્રીનું નામ જોડાયું હતું. ૨૦૦૩માં આવેલી 'આંચ' ફિલ્મમાં આયેશાએ નાના પાટેકર સાથે ઘણા પ્રણયદ્રશ્યો ભજવ્યા હતા. અને ત્યારે બન્ને લીવ ઇન રિલેશનશિપમાં હોવાની ચર્ચા હતી. જોકે નાના પાટેકરના ખરાબ વર્તનને કારણે આયેશાએ આ સંબંધનો અંત આણ્યો હતો.