અક્ષય અને ઋચા સાથે કામ કરી મારો અભિનય ખિલ્યોઃ મીરા
અક્ષય ખન્ના અને ઋચા ચઢ્ઢા જેવા કલાકારો સાથે કામ કરવાની તક મળતાં મીરા ચોપડાના અભિનયમાં નિખાર આવ્યો છે. મીરા પોતે કહે છે કે મારા ફિલ્મ સેકશન ૩૭૫માં આ બંને કલાકારો સાથે ઘણા દ્રશ્યો છે. અક્ષય અને ઋચા પોતે સારામાં સારા કલાકારો છે તેવું સિધ્ધ કરી ચુકયા છે. બંને વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. મને પણ તેની સાથ કામ કરવાની તક મળતાં હું ખુબ સારી અભિનેત્રી બની ગઇ છું. મીરાએ નિર્દેશક અજય બહેલના પણ વખાણ કર્યા છે. તે કહે છે અજયમાં ગજની કલ્પનાશકિત છે. તે કલાકારો અંદર રહેલા અભિનયને બહાર કાઢી શકે છે. આવતા શુક્રવારે આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે.જેમાં રાહુલ ભટ્ટ, કુમુદ મિશ્રા અને અતુલ કુલકર્ણી પણ છે. ફિલ્મનું ટ્રેલર દર્શકોને ખુબ ગમ્યું છે. ઋચા અને અક્ષય આ ફિલ્મમાં વકિલના રોલમાં જોવા મળશે.