ફિલ્મ જગત
News of Monday, 9th July 2018

આ ઉંમરે હું પહેલા કરતાં વધુ મુકતપણે કામ કરૂ છું: મનીષા કોઇરાલા

મુંબઇ તા ૯ : મનીષા કોઇરાલાનું કહેવું છે કે ૪૭ વર્ષની ઉંમરે પણ તેને ખુબ જ સારા પાત્રોની ઓફર મળી રહી છે. મનીષા કોઇરાલા કેન્સર સર્વાઇવર છે અને એમાંથી બહાર આવ્યા બાદ તે ફરી  ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની ઉંમર ૪૭ વર્ષની છે અનેતેણે હાલમાં જ 'સંજુ' માં નર્ગિસનું પાત્ર ભજવ્યું છે. કેન્સર બાદ મનીષા કોઇઇરાલાએ તેની સુંદરતા પર ધ્યાન નહોતું આપ્યું, પરંતુ જો તેને ગ્લેેમરસ પાત્રની ઓફર થઇ તો ફરી તેના લુક પર કામ કરશે. આ વિશે વધુ જણાંવતાં મનીષાએ કહ્યું હતુ કે ' મારી ચાલીસીમાં હુ પહેલા કરતાં વધુ મુકતપણે કામ કરી રહી છું. એક વાર હું શબાના આઝમીજી સાથે વાત કરી રહી હતી ત્યારે તેમણે કહ્યું હતુ કે એક મહિલા અને એકટ્રેસ તરીકે આપણે હંમેશા સારા દેખાવું પડે છે. તેમણે મને એ પણ ણૂછયું કે હું કેમ મારી સુંદરતા પર ધ્યાન નથી આપી રહી. એક મહિલા તરીકે મારે મારી લાઇફના દરેકતબ્બકામાં સારા દેખાવું છે, પરંતુ એકટિંગને હું ખુબન પ્રેમ કરૂ છું. જો કોઇ પાત્ર માટે મારે મારીસુંદરતાથી દુર રહેવું પડે તો હું એ માટે તૈયાર છ. મારી પ્રયોરિઠી મારી સુંદરતા છે અને જો મને ગ્લેમરસ પાત્રોની ઓફર થઇ તો હું ફરી મારા લુક પર કામ કરીશ.' (૩.૬)

(4:11 pm IST)