અબિર સેનગુપ્તા બનાવશે ઋષીકેશ મુખરજીની સદાબહાર ફિલ્મ આનંદની રિમેક
મુંબઇ : ઋષીકેશ મુખરજીની સદાબહાર ફિલ્મ આનંદની રિમેક બનાવવાની યોજના થઇ રહી હોવાની જાણકારી મળી હતી. ફિલ્મ સર્જક અબિર સેનગુપ્તા આ યોજના ઘડી રહ્યા હોવાનું કહેવાય છે. જો કે રાજેશ ખન્ના કે અમિતાભ બચ્ચનનો વિકલ્પ કોઇ કલાકાર બની શકે એ શક્ય નથી. એમાંય અબિર સેનગુપ્તા તો જેકી ભગનાની જેવા નવોદિત કહેવાય એવા કલાકારને લઇને બનાવવા ધારે છે. જો કે મૂળ આનંદની કથા સાથે આ ફિલ્મની કથાને કશી લેવાદેવા નથી. આ ફિલ્મની કથા એવી છે કે જીવનમાં આવતા પરિવર્તન અંગે રાવ કે ફરિયાદ કરવાને બદલે એક યુવાન હસતાં હસતાં દરેક પરિસ્થિતને સ્વીકારી લેવા મથે છે. યંગીસ્તાન અને ફાલતુ જેવી ફિલ્મો કરી ચૂકેલા અભિનેતા જેકી ભગનાનીએ કહ્યું કે હું આ ફિલ્મની કથાથી આકર્ષાયો છું. આવી સરસ ફિલ્મ કરવા મળશે એ વિચારે હું ઉત્તેજિત છું. આ ફિલ્મને કોપીરાઇટની માથાકૂટથી બચાવી લેવા આનંદવા નામ આપવામાં આવ્યું છે. અગાઉ આનંદ ફિલ્મની કથા પરથી મંૈ હું ના ફિલ્મ આવી હતી જેમાં શાહરુખ ખાને રાજેશ ખન્ના જેવો રોલ કર્યો હતો. એ ફિલ્મમાં શાહરુખના દોસ્તનો રોલ સૈફ અલી ખાને કર્યો હતો.