ફરીવાર ક્રાઇમ બેઝ શોમાં આવી રહ્યો છે રોનિત
ટીવી અને ફિલ્મોના અભિનેતા રોનિત રોયને ટીવી શો અદાલતથી ખુબ ઓળખ મળી હતી. હવે તે વધુ એક વખત ક્રાઇમ શો જુર્મ ઓૈર જઝબાતમાં જોવા મળવાનો છે. રોનીત કહે છે ક્રાઇમ શોથી લોકોમાં જાગૃતિ આવે છે અને પોતાની આસપાસ તથા સમાજમાં બનતી ઘટનાઓથી તેઓ વાકેફ રહે છે. હું અદાલતમાં કામ કરતો હતો ત્યારે ઘણા લોકો એમ કહેતાં કે અદાલત સિરીયલ જોયા પછી તેમના બાળકોએ કાયદાનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. આ શોની ખુબ ઉંડી છાપ પડી હતી. જુર્મ એન્ડ જઝબાત નામના શો વિશે રોનિતે કહ્યું હતું કે આ વખતનો અમારો આ શો સામજીક જાગૃતિ માટેનો નથી, પરંતુ મનોરંજન આપનારો શો છે. મારા માટે ટીવી પરદે પાછા આવવા માટે આ શો ખુબ સારો છે. ક્રાઇમ થ્રિલર શોની કહાની અને રજૂઆત ખુબ જ મજેદાર છે. સોૈથી મજાની વાત એ છે કે મને જ્યારે સમય મળે ત્યારે શુટીંગ કરવા માટે નિર્માતા તૈયાર છે.