ફિલ્મ જગત
News of Thursday, 8th March 2018

આમીર ખાનની બાયોપિક બનાવવાની રાજકુમાર હીરાણીને ઈચ્છા

મુંબઈ:રાજ કુમાર હિરાણી હાલ સંજય દત્તની બાયોપિકમાં વ્યસ્ત છે. ત્યારે તેણે આમિર ખાનની જીવનકથની બનાવવાની પણ મરજી દાખવી છે. ફિલ્મસર્જક રાજ્ કુમાર હિરાનીએ કહ્યું હતું કે, આમિર ખાનની બાયોપિકમાં કોને દિલચસ્પી હોય, આમિર અને હિરાણી એકબીજાની ઘણી નજીક છે. આમિર પોતાની જીવનકથની લખી લેવા દો, અમે ઘણા સમયથી તેના લખેલુ પુસ્તક બહાર પડે તેની રાહ જોઇ રહ્યા છીએ. જોકેઆમિરે હજી પોતાના વિશે પુસ્તક લખવાની શરૃઆત કરી નથી. તેણે કહ્યું હતું કે, મને ઘણાએ મારી જીવનકથની લખવા માટે સલાહ આપી છે પરંતુ કામના ભારને કારણે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી

 

 

(5:53 pm IST)