લાંબા સમય પછી મોના સિંહનું આગમન
જસ્સી જૈસી કોઇ નહિ ટીવી શો થકી ટીવીની દૂનિયામાં મોટો ફેરફાર લાવનારી અભિનેત્રી મોનાસિંહ ફરીથી આવી રહી છે. મોન એકતા કપૂરના એક શોમાં જોવા મળશે. આ શોનું ટ્રેલર રિલીઝ થયું છે. જેમાં દેખાડાયું છે કે મોનાની જિંદગી એવા રસ્તે આવી જાય છે જ્યાં તે સાચુ શું અને ખોટુ શું? તે નક્કી કરવામાં ગડમથલ અનુભવે છે. તેની આ હાલતનું કારણ બીજુ કોઇ નહિ પણ રોનિત રોય છે. આ શોનું નામ 'કહને કો હમસફર' એવું છે. મોના સિંહ સાથે રોનિત રોય, ગુરદીપ કોહલી પણ મુખ્ય ભુમિકામાં છે. આ સિરીયલને એએલટી બાલાજી એપ પર ઓનલાઇન જોઇ શકાય છે. આ શોની કહાની આડાસંબંધો પર આધારીત છે. આવા રિલેશનને કારણે પરિવારોને કેવી મુશ્કેલીઓને સામનો કરવો પડે છે? તેની વાત દેખાડાઇ છે. મોનાએ અનન્યાસિંહનો રોલ નિભાવ્યો છે. રોનિત તેના બોયફ્રેન્ડના રોલમાં છે, જે પહેલેથી પરણેલો છે.