વાણીએ બોલતી બંધ કરી દીધી
વાણી કપૂર ફિલ્મો અને સોશિયલ મિડીયાને કારણે સતત ચર્ચામાં રહે છે. દિલ્હીમાં જન્મેલી વાણીએ યશરાજ ફિલ્મ્સની શુધ્ધ દેસી રોમાન્સ ફિલ્મથી ૨૦૧૩માં અભિનય કારકિર્દી શરૂ કરી હતી. એ પછી તેણે તમિલ ફિલ્મ કરી હતી. બેફિક્રે અને વોર પણ તેની વખાણાયેલી ફિલ્મો છે. હવે તે આવતા વર્ષે સમશેરામાં જોવા મળવાની છે. તેણે બોલીવૂડમાં એન્ટ્રી સાથે જ સતત બે વર્ષ બેસ્ટ ફિમેલ ડિબટના એવોર્ડ પણ મેળવ્યા હતાં. સોશિયલ મિડીયા પર તે સતત સક્રિય રહે છે. આ કારણે ઘણીવખત ટ્રોલર્સનો ભોગ પણ બનતી રહે છે. તાજેતરમાં તેણે એક સેલ્ફી મુકી હતી. જેમાં તેણે સ્પોર્ટસ બ્રા અને યોગા પેન્ટ પહેર્યા હતાં. તેનો લૂક જોઇ એક ટ્રોલર્સએ તેને શું તમે કુપોષણનો શિકાર છો? તેવો સવાલ પુછી લીધો હતો. વાણીએ તેને એવો જવાબ આપ્યો હતો કે તેની બોલતી બંધ થઇ ગઇ હતી. વાણીએ લખ્યું હતું કે જીવનમાં કંઇક પ્રોડકિટવ કરવાનો પ્રયત્ન કેમ નથી કરતાં? તમારા પોતાના પર કઠોર થવાનું બંધ કરો, ધૃણા દેખાડવાનું બંધ કરો. વાણીની શમશેરામાં રણબીર કપૂર અને સંજય દત્ત મુખ્ય રોલમાં છે. ૩૧મી જુલાઇએ આ ફિલ્મ રિલીઝ થશે.