ફિલ્મ જગત
News of Thursday, 9th January 2020

અજય ચોૈધરી હવે નેગેટીવ રોલમાં

સબ ટીવી પરના શો દર્શકોને ભરપુર મનોરંજન આપતાં રહે છે. આ ચેનલ પર વર્ષ ૨૦૧૭થી પ્રસારીત થઇ રહેલા તામિલ કવિ તેનાલી રામાકૃષ્ણના જીવન પર આધારીત શો તેનાલી રામા પણ દર્શકોમાં ખુબ લોકપ્રિય છે. તેનાલી રામાની બુધ્ધીક્ષમતા અને તેનું વાકચાતુર્ય અભિનેતા કૃષ્ણા ભારદ્વાજ દ્વારા ખુબ સારી રીતે રજૂ થઇ રહ્યા છે. રાજા કૃષ્ણદેવ રાયાના રોલમાં માનવ ગોહિલ, તાથાચાર્યના પાત્રમાં પંકજ બેરી, રાજા બાલકુમારન તરીકે શકિત આનંદ ભુમિકા નિભાવી રહ્યા છે. હવે કાયકલાના પુત્રનું પાત્ર આ શોમાં સામેલ થઇ રહ્યું છે. વિશ્વજીત પ્રધાનનું પાત્ર ગયા વર્ષે આવ્યું હતું. હવે તેના પુત્રના પાત્ર માટે અભિનેતા અજય ચોૈધરીની પસંદગી થઇ છે, આ નેગેટીવ પાત્ર છે. અજયએ અગાઉ કલર્સના શો ઉતરણ, ફુલવા તથા સ્ટાર પ્લસના રિસ્તો કા ચક્રવ્યુહમાં કામ કર્યુ હતું. લોકોને તેનો અભિનય ગમ્યો હતો. છેલ્લે તે લાલ ઇશ્કના એક એપિસોડમાં પણ હતો. કુમકુમ, સુજાતા, દિલ સે દિયા વચન સહિતના શો પણ તેણે કર્યા છે. હવે તે  તેનાલી રામામાં નેગેટીવ રોલમાં દર્શકોને કેટલો ખુશ કરશે તે જોવું રહ્યું.

 

(10:00 am IST)