ટીવી અભિનેત્રી સૃષ્ટીએ તોડી મનિષ સાથેની સગાઇ
ટીવી અભિનેત્રી સૃષ્ટિ રોડેએ સગાઇતોડી નાંખી છે. મંગેતર મનિષ નાગદેવ સાથેની સૃષ્ટિની સગાઇ તૂટી જતાં ટેલીવૂડમાં ખુબ ચર્ચા જાગી છે. સૃષ્ટિ અને મનિષ છેલ્લા ચાર વર્ષથી રિલેશનશીપમાં હતાં. મનિષે આ વાતને સાચી ઠેરવતા કહ્યું હતું કે હવે હું અને સૃષ્ટિ સાથે નથી, પણ હું કોઇ ખાસ કારણ જણાવવા ઇચ્છતો નથી. હું માત્ર એટલુ જ કહીશ કે અમારી વચ્ચે વચ્ચે અમુક મતભેદ છે અને વિચારસરણી પણ અલગ-અલગ છે. અમે બંનેએ સાથે બેસી વાત કરી છે અને પછી અલગ પડ્યા છીએ. સૃષ્ટિને હું ખુબ સન્માન આપુ છું, અને આપતો રહીશ. અમારી રિલેશનશીપ ખુબ સારી રહી છે. પણ હવે આ રિલેશનનો કોઇ મતલબ નથી, હવે બધુ ખતમ થઇ ગયું છે. હું હવે કારકિર્દી તરફ ધ્યાન આપી રહ્યો છું. ચર્ચા છે કે બિગબોસ-૧૨માં સૃષ્ટિ અને રોહિત સુચાંતી વચ્ચે સારુ બનતું હતું. આ કારણે બંને વચ્ચે કંઇક હોવાની વાતો પણ વહેતી થઇ હતી. સૃષ્ટી રોડેએ કુછ ઇસ તરહ, છોટી બહૂ, પુનર્વિવાહ, સરસ્વતિચંદ્ર, ચલતી કા નામ ગાડી, ઇશ્કબાજ સહિતના શો કર્યા છે.