News of Thursday, 8th April 2021
ઈન્ડિયન આઈડોલના સ્પર્ધક પવનદિપને કોરોના
મુંબઈઃ સોનીમાં પ્રસારીત થતો રિયાલીટી શો ઈન્ડિયન આઈડોલ-૧૨ના સ્પર્ધક પવનદીપ રાજનને કોરોના થયો છે. એન્કર આદિત્ય નારાયણને કોરોના થયા બાદ આઈડોલના સેટ ઉપર વધારે સાવચેતી સાવધાની રાખવામાં આવી હતી. જેના ભાગરૂપે દરરોજ સ્પર્ધકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. શો ના ટોપ-૯ સ્પર્ધક પવનદીપને કોરોના આવતા તેને કવોરેન્ટાઈન કરવામાં આવ્યો છે.
(12:45 pm IST)