ફિલ્મ જગત
News of Saturday, 8th February 2020

અભિનેતા રણવીર સિંહે 'જયેશભાઈ જોરદાર' ફિલ્મની શુટિંગ કરી પૂરી

રણવીર સિંહે ટ્વીટર પર નિર્દેશક અને પ્રોડ્યુસર સાથે તસ્વીર શેર કરી ફિલ્મની શુટિંગ સમાપ્ત થવાના સમાચાર આપ્યા

મુંબઈ : અભિનેતા  રણવીર સિંહ આ દિવસોમાં ઘણા ચર્ચાઓમાં છે.તેમને પોતાની આગામી ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' ની શુટિંગ પૂરી કરી લીધી છે. રણવીર સિંહે તેની જાણકારી આપી છે. ફિલ્મ નિર્માતા દિવ્યાંગના નિર્દેશન વાળી આ ફિલ્મમાં રણવીર સિંહ અને નિર્દેશક પ્રોડ્યુસર મનીષ શર્મા ફરીથી એક વખત સાથે કામ કરી રહ્યા છે.

 મનીષ શર્માએ જ અભિનેતાને ૨૦૧૦ માં આવેલી ફિલ્મ 'બેન્ડ બાજા બારાત' થી ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ મોટી તક અપાવી હતી. રણવીર સિંહે ટ્વીટર પર નિર્દેશક અને પ્રોડ્યુસર સાથે એક તસ્વીર શેર કરી અને ફિલ્મની શુટિંગ સમાપ્ત થવાના સમાચાર આપ્યા છે.

 ૩૪ વર્ષીય અભિનેતાએ જણાવ્યું છે કે, 'શુટિંગ સમાપ્ત થઈ ગઈ. મનીષ સરની સાથે 'બેન્ડ બાજા બારાત' થી 'જયશભાઈ જોરદાર' સુધીની સફર, તમારા માર્ગદર્શનમાં ૧૦ વર્ષ અદ્ભુત રહ્યા. દિવ્યાંગ...તમારો પ્રેમ અને સકારાત્મક ઉર્જાથી ભરેલું છે. મને પોતાના જયેશ બનાવવા માટે આભાર.' એક વધુ ટ્વીટ કરતા રણવીર સિંહે 'ગલી બોય' ના પોતાના પ્રખ્યાત ગીત 'અપના ટાઈમ આએગા' ને ગુજરાતી કલેવરમાં પ્રસ્તુત કરતા કહ્યું છે કે, 'અપના ટેમ આ ગયા ને'.

(11:55 am IST)