હિમેશ રેશમિયાની આધારિત ફિલ્મ શિકારાનું ટ્રેલર રિલીઝ
આ ફિલ્મ કાશ્મીરી પંડિતો પર બનેલી છે, જેને વિધુ વિનોદ ચોપરા(Vidhu Vinod Chopra) એ ડાયરેક્ટ કરી છે. હાલ જેએનયુમાં જે પ્રકારે હિંસા થઈ છે તે જોતા શિકારા (Shikara) નું ટ્રેલર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યુ છે. ટ્રેલરની શરૂઆત પતિ-પત્નીના શાયરાના અંદાજ સાથે થાય છે, ત્યારે જ બળતુ ઘર બતાવાય છે. કાશ્મીરી પંડિતો પર હુમલા થાય છે, તેઓને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે. આમ, કાશ્મીરી પંડિતો પોતાના જ ઘરમાં શરણાર્થી બની જાય છે. રસ્તા પર રખડતા કાશ્મીરી પંડિત પોતાના મખમલી પથારી છોડીને રસ્તા પર સૂઈ જવા મજબૂર થઈ જાય છે. ટ્રેલરમાં વિધુ વિનોદ ચોપરા કાશ્મીરી પંડિતોનુ દર્દ બતાવવામાં સફળ થયા છે. ટ્રેલર બહુ જ શાનદાર છે. ફિલ્મમાં સાદિયા અને આદિલ ખાન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 7 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે.