દિલ્હીના પટોડી પેલેસમાં પહેલી જ વખત ટીવી શોનું લોન્ચીંગ
૧૪મીથી આવી રહ્યો છે નવો શો- 'યે જાદૂ હૈ જીન કા': વિક્રમસિંહ અને અદિતીનો મુખ્ય રોલ
મુંબઇ તા. ૭: ટીવી પરદે સતત નવા-નવા કન્ટેન્ટ ધરાવતાં શો આવતાં રહે છે. સ્ટાર પ્લસ પર આગામી ૧૪મી ઓકટોબરથી 'યે જાદૂ હૈ જિન કા' શરૂ થઇ રહ્યો છે. આ શોનું લોન્ચીંગ પટોૈડી પેલેસમાં થયું છે. આવું પહેલી જ વખત થયું છે. આ શોમાં વિક્રમસિંહ ચોૈહાણ અને અદિતી શર્માનો મુખ્ય રોલ છે. વિક્રમસિંહ અમન જુનૈદ ખાન નામના યુવાનના પાત્રમાં છે જે જાદુઇ શકિતઓથી સંપન્ન છે. જ્યારે અદિતી ખુશમિજાજ અને સકારાત્મક ઉર્જાથી ભરપુર એવી રોશની નામની યુવતિના રોલમાં છે. આ બંનેની પ્રેમકહાની જોવા મળશે. અદિતીનું પોતાનું પણ એક અંગત રહસ્ય છે. અમન પોતાના જીવનમાં જિનની હાજરીથી પરેશાન રહેતો યુવાન છે. શોમાં ગ્રાફિકસનો ભરપુર નજારો જોવા મળશે.
વિક્રમસિંહ કહે છે હું આ શોના મારા પાત્રને કારણે ખુબ જ ઉત્સાહિત છું. અમે દિલ્હી ખાતે પટોૈડી પેલેસ ખાતે આ શોનું લોન્ચીંગ કરતાં અદ્દભુત અનુભવ થયો હતો. નવાબોના ઘરમાં નવાબના શોનું લોન્ચીંગ થયું તે મારા માટે ખુબ જ નસિબની વાત છે. આ પહેલા કદી પણ કોઇ શો આ પેલેસમાં લોન્ચ થયો નથી. શોમાં રોશનીનો રોલ નિભાવી રહેલી અદિતીએ કહ્યું હતું કે ભારતીય ટેલિવિઝન પર પહેલી વખત પટોૈડી પેલેસમાં શોનું લોન્ચીંગ થયું છે એ કારણે હું ખુબ ઉત્સાહિત છું. ખુબ જ ભવ્ય મહેલ, ભવ્ય શુભારંભ...આથી વધુ બીજુ શું જોઇએ? ૧૪મીથી સોમથી શુક્ર સાંજે ૮:૩૦ કલાકે આ શો પ્રસારિત થશે.