કહાની લઇ જવાશે આગળ, વિવિયન છોડી દેશે સિરિયલ
ટીવી ઇન્ડસ્ટ્રીના ખુબ જાણીતા અભિનેતા પૈકીનો એક વિવિયન ડિસેના હાલમાં જે શોમાં કામ કરી રહ્યો છે એ શો છોડી દેશે તેવી વાતો થઇ રહી છે. વિવિયન 'શકિત-અસ્તિત્વ કે અહેસાસ કી'માં હરમનનો મુખ્ય રોલ નિભાવી રહ્યો છે. આ શોથી વિવિયન અલગ થઇ રહ્યો છે. સિરીયલની કહાનીમાં મોટો લિપ આવશે અને સિરીયલની કહાનીને કેટલાક વર્ષ સુધી આગળ લઇ જવામાં આવશે. એ પછી વિવિયન શોમાં જોવા મળશે નહિ. લિપ પછી વિવિયનને તેના મોટા યુવાન થઇ ગયેલા બાળકોના પિતાનો રોલ નિભાવવાનો હતો. પરંતુ તે આ રોલ નિભાવવા ઇચ્છતો ન હોઇ તેણે પોતે શોથી અલગ થઇ જશે તેવી વાત નિર્માતાઓ સાથે કરી લીધી છે. આગામી ટ્રેકમાં વિવિયન પિતાના પાત્રમાં જોવા મળશે, એ પછી લિપ આવશે અને વિવિયનનું પાત્ર હટી જશે. વિવિયનને આ મહિનાના અંત સુધીમાં પોતાના ટ્રેકનું શુટીંગ પુરૂ થઇ જવાની આશા છે. ૨૦૦૮માં કસમ સે સિરીયલથી વિવિયને કારકિર્દી શરૂ કરી હતી.