ટૂંક સમયમાં આવશે 'બાહુબલી'ની પ્રિકવલ : શિવગામીની હશે સંપૂર્ણ કહાની!
'બાહુબલી'ની પ્રિકવલને ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે
મુંબઇ તા. ૭ : પ્રભાસ અને ભલ્લાલ દેવની 'બાહુબલી' અને 'બાહુબલી-૨' અપાર સફળતા બાદ હવે મેકર્સ ફિલ્મની પ્રિકવલ બનાવવાનું વિચારી રહ્યાં છે. આ પ્રિકવલ 'બાહુબલી' સિરીઝની કલાકાર શિવગામીની જીવન પર આધારિત હશે. આ ફિલ્મ માટે ડિરેકટર રાજામૌલીએ 'પ્રસ્થાનમ' ના ડાયરેકટર દેવ કટ્ટા સાથે વાત કરી છે.
'બાહુબલી ૨' બાદ તેના ત્રીજા ભાગને પણ બનાવવામાં આવશે અને હવે તે ચર્ચા વહી રહી છે. ખરેખર, આ ફિલ્મના પ્રિકવલ ફિલ્મનો મહત્વપૂર્ણ ભાગ શિવગામીના જીવન પર આધારિત હશે. આ પ્રિકવલનું નામ છે 'ધ રાઇઝ ઓફ શિવગામી' જેના માટે ડાયરેકટર એસએસ રાજામૌલીએ 'પ્રસ્થાનમ' ડિરેકટર, દેવ કટ્ટા સાથે વાતચીત કરી છે. બોલિવુડ લાઇફ મુજબ, દેવ કટ્ટાએ મીડિયાને કહ્યું છે કે 'બાહુબલી' શ્રેણીની સીરિઝ દર્શકોએ ખૂબ પસંદ આવી હતી. રાજામૌલી સરે આ સીરિઝ દ્વારા સ્ટોરી ટેલિંગની નવી રીત દર્શકોને રજૂ કરી હતી. હું ખુશ છું કે 'ધ રાઇઝ ઓફ શિવગામી' માટે અમે બંને સાથે મળીને કામ કરીશું.
'બાહુબલી' ની પ્રિકવલને ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. હાલમાં જ દેવ કટ્ટા તેમની ફિલ્મ 'પ્રસ્થાનમ' ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સંજય દત્ત્। લીડ રોલમાં નજર આવશે.