ફિલ્મ 'લવરાત્રિ'માં કેમિયો કરશે સલમાન અને અરબાઝ ખાન
મુંબઈ:સલમાન ખાન બનેવી આયુશ શર્માને ફિલ્મ 'લવરાત્રિ દ્વારા લોન્ચ કરી રહ્યો છે. દર્શકોને સિનેમાઘર સુધી ખેંચી લાવવા સલમાન એક ટ્રિક કરી રહ્યો હોવાની વાત છે. જોકે આ બાબતે સત્તાવાર ઘોષણા થઇ નથી.સલમાન ખાન અને અરબાઝ ખાન પોતાના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ 'લવરાત્રિમાં કેમિયો કરતા જોવા મળશે. આ ફિલ્મ દ્વારા જ સલમાન પોતાના બનેવી આયુશ શર્માને લોન્ચ કરી રહ્યો છે.
સલમાન અનેઅરબાઝ એક વિશેષ ગીતમાં સાથે જોવા મળશે. અરબાઝ જલદી જ પોતાના હિસ્સાનું શૂટિંગ શરૃ કરશે. કેમિયોવાળા દ્રશ્યનું શૂટિંગમુંબઇમાં જ કરવામાં આવશે. આ સીન સલમાન,અરબાઝ અને આયુષ પર ફિલ્માવવામાં આવશે.જ્યારે સલમાને આ ફિલ્મની ઘોષણા કરીહતી ે ત્યારે ઘણી અફવાઓ ફેલાઇ હતી. એક વાત એવી પણ ચગી હતી કે સલમાન આ ફિલ્મના વિશેષ ગીતમાં દેખા દેશે. જોકે સલમાનના નિર્માણ હાઉસે આ વાતને અફવામાં ખપાવી હતી. આ ફિલ્મમાં ફક્ત સલમાન અને અરબાઝ જ નહીં પરંતુ સોહેલ ખાન પણ કેમિયો કરતો જોવા મળશે.