જસ્મીનને સિધ્ધાર્થ ખુબ શાંત લાગ છે
એકતા કપૂરનો શો નાગિન સતત ચોથી સિઝનમાં પણ હિટ રહ્યો છે. નાગિન-૪માં આ વખતે અભિનેત્રી જસ્મીન ભસીન મુખ્ય નાગિનનો રોલ નિભાવી રહી છે. તે અગાઉ ટીવી શો 'દિલ સે દિલ તક'માં સિધ્ધાર્થ શુકલા અને રશ્મિ દેસાઇ સાથે કામ કરી ચુકી છે. હાલમાં રશ્મી અને સિધ્ધાર્થ બિગ બોસમાં એક સાથે ભાગ લઇ રહ્યા છે. બિગ બોસની આ ૧૩મી સિઝન કોણ જીતશે? તે અંગે બધા પોતપોતાના મંતવ્યો આપી રહ્યા છે. આ બધાની વચ્ચે જસ્મીને એવું કહ્યું છે કે આ વખતે બિગ બોસમાં સિધ્ધાર્થ વિજેતા થશે. જસ્મીને કહ્યું હતું કે શોમાં સિધ્ધાર્થ દેખાય છે તેના કરતાં પણ વધુ શાંત અને સારો છે. ગર્લ્સનો આદરભાવ કરવામાં સિધ્ધાર્થની તોલે કોઇ આવે તેમ નથી. ઘરમાં લાંબો સમય એકલા રહેવાને કારણે કયારેક થોડો ગુસ્સો આવી જાય એ સામાન્ય બાબત છે. સિધ્ધાર્થ ઉપરાંત આ વખતે રશ્મિ દેસાઇ અને આસિમ રિયાઝ પણ જીતના દાવેદાર ગણાય છે.