તારક મહેતા શોમાં હવે નહીં જોવા મળે દયાબેનનું પાત્ર
મુંબઈ તા. ૬ : થોડા સમય પહેલા ખબર આવી હતી કે લોકપ્રિય શો તારાક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન એટલે કે દિશા વાકાણી કમબેક કરવા જઈ રહી છે, પણ હવે જે ખબર આવી રહી છે તે તેમના ફેન્સનું દિલ તોડી શકે છે. દિશા વાકાણી શોમાં કમબેક નહીં કરે. આ પાછળનું કારણ તેમના પતિને માનવમાં આવે છે. સૂત્રોએ જણાવ્યું છે કે દિશા વાકાણીના પતિ નથી ઈચ્છતા કે તે ફરી સ્ક્રીન પર આવે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર દિશા વાકાણી ભજવતી હતી, જયારે દિલીપ જોશી જેઠાલાલનું પાત્ર ભજવે છે. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં દયાબેન શોથી દૂર થયા હતા. તેમના ફેન્સ સતત પડદા પર તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજી અપડેટ મુજબ દિશા હવે શોમાં નહીં જોવા મળે.
દિશાએ ૩૦ નવેમ્બર ૨૦૧૭એ દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારે તે પોતાની દીકરીની સાથે સમય વિતાવી રહી હતી અને શોમાં નજરે નહીં પડે. શોમાં તેની કોસ્ટાર્સ સિવાય તેમના ફેન્સ તેની કમબેકની રાહ જોઈ રહ્યા છે. દિશાએ પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં તારક મહેતા.. શો માટે અંતિમ વખત શૂટ કર્યું હતું.
દિશા ૨૦૦૮થી સતત 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કરે છે. દિશા માર્ચ સુધી મેટરનિટી લીવ પર હતી. આ દરમિયાન આશા વ્યકત કરવામાં આવી રહી હતી કે તે શોમાં પાછી જોવા મળશે, પણ આ સમય હજુ સુધી આવ્યો નથી, કે દર્શકો તેને ફરી એક વખત શોમાં જોઈ શકે.મીડિયા રિપોર્ટ્સ મુજબ દિશા શોમાં પાછી આવવા માગે છે. તે શોમાં પાછી ફરે તેના માટેની તૈયારી પણ કરી લેવાઈ હતી. દિશાએ પોતાની એન્ટ્રીનો પ્રોમો પણ શૂટ કરાવી લીધો હતો, પણ તેના પતિ આ વાતથી ખૂશ નહોતા. તેમના પતિ ઈચ્છે છે કે દિશાના બાળકના ઉછેરમાં ધ્યાન આપે. હવે એ જોવાનું રહેશે કે દિશાનો અંતિમ નિર્ણય શું રહે છે.(૨૧.૨૪)