તારક મહેતામાં પરત આવશે દિશા વાકાણી, રક્ષાબંધન સ્પેશયલ એપિસોડમાં આવશે નજર?
મુંબઇ,તા.૬ : ટીવી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા કા ચશ્મા લોકડાઉન બાદ ફરી શરૂ થવાનું છે. નવાં એપિસોડ્સ જોઇ ફેન્સ ખુશ છે. આ શો TRPમાં તો ટોપ પર ચાલી જ રહ્યો છે આ ઉપરાંત સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. હવે સમાચાર છે કે શોને વધુ મજેદાર બનાવવાં શોનાં સ્પેશલ એપીસોડમાં દિશા વાકાણી પણ નજર આવી શકે છે.
એવાં સમાચાર છે કે, તારક મેહતામાં રક્ષાબંધન તહેવાર ઉજવાતો દર્શાવવામાં આવશે. આ તહેવારનાં બહાને સ્પેશલ એપિસોડ માટે દિશા વાકાણી શોમાં પરત આવી શકે છે. એવામાં તારક મેહતામાં જો દિશાની રિએન્ટ્રી થઇ તો દર્શકો માટે આ ગિફ્ટથી કંઇ કમ નહીં હોય.
આપને જણાવી દઇએ કે, શોમાં કામ કરનારી જેનિફરે પણ એવી હિન્ટ આપી હતી કે, દિશા વાકાણી ટૂંક સમયમાં જ શોમાં રિએન્ટ્રી કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, હજુ દિશાની પ્રાથમિકતા તેની દીકરી છે એવામાં તેનાં પર કોઇપણ પ્રકારનું દબાણ કરવું યોગ્ય નથી. ગત ૨ વર્ષથી દિશા વાકાણી અંગે સસ્પેન્સ બનેલું છે. કયારેક એવી વાતો થાય છે કે દિશા શોમાં પરત આવશે તો કયારેક એવી વાતો થાય છે કે હાલમાં તે પરત આવવાની નથી. અને કોઇ તેને રિપ્લેસ કરવાનું છે. ત્યારે જો દિશા શોમાં રક્ષાબંધન સ્પેશલ એપિસોડમાં નજર આવશે તો તમામ અટકળો પર પડદો પડી જશે.