ફિલ્મ જગત
News of Monday, 6th August 2018

કિશોર કુમારની બાયોપિકને લઈને આ વ્યક્તિ છે બહુ ઉત્સાહિત

મુંબઈ:અનુરાગ બાસુ સ્વ. ગાયક કિશોર કુમાર પર બાયોપિક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મમાં કિશોર કુમારના પાત્રનેરૃપેરી પડદે  જીવંત કરવા રણબીર કપૂર ઉત્સાહિત છે. પરંતુ કિશોર કુમારના પરિવાર તરફથી મંજુરી નથી મળી રહી.

 

'' ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે. થોડું કાયદાકીય કામ બાકી છે. જેવી અમને કિશોર કુમારના પરિવાર તરફથી મંજૂરી મળે તો  અમે ફિલ્મ શરૃ કરી દઇશું, તેમ અનુરાગે જણાવ્યું હતું.  
મીડિયા રિપોર્ટસની માનીએ તો કિશોરકુમારની જિંદગી સાધારણ રહી નથી. તેના જીવનમાં ઘણા રણબીર અને અનુરાગ બાયોપિક બનાવવા ઇચ્છે છે પરંતુ કિશોર કુમારનો પરિવાર નથી ઇચ્છતો કે ફરી વરસો જુના કિસ્સા ફરી જીવંત છાપે ચઢે.પરિણામે અનુરાગ ફિલ્મને શરૃ કરી શકતો નથી.
અનુરાગે વધુમાં એમ પણ કહ્યું હતું કે, ફિલ્મ માટે હજી સુધી દિગ્દર્શક અને અભિનેતાની પસંદગી થઇ છે. બોલીવૂડમાં પ્રોજેક્ટ બાબત કોઇનો સંપર્ક કરવામાં આવ્યો નથી. ફિલ્મને શરૃ કરવા માટેના કાયદેસર ંજુરી મળે ત્યાં સુધી તે ફિલ્મની સ્ક્રિપ્ટ બાબત કોઇની સાથે ચર્ચા કરવા માંગતો નથી.

(3:35 pm IST)