ફિલ્મ જગત
News of Thursday, 6th May 2021

બોલીવુડ અભિનેત્રી શ્રીપ્રદાનું કોરોનાથી નિધન

મુંબઈ: બોલિવૂડ, ભોજપુરી અને દક્ષિણ ભારતીય અભિનેત્રી શ્રીપ્રદાનું બુધવારે અવસાન થયું છે. છેલ્લા ઘણા દિવસોથી તે કોરોના વાયરસથી સંક્રમિત હતી. 80 અને 90 ના દાયકામાં પોતાની અભિનયથી દર્શકોના દિલ પર રાજ કરનાર શ્રીપદાએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે 'આગ કે શોલે', 'બેવફા સનમ' થી ઝી ટીવીની હોરર સિરીઝ સુધીની ફિલ્મોમાં કામ કર્યું છે. શ્રીપ્રદાન નિધનની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

(5:45 pm IST)