ફિલ્મ જગત
News of Thursday, 6th May 2021

કોમેડિયન સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલે વિરુદ્ધ એફઆરઆઇ નોંધાઈ: લગ્નનો વાયરલ વીડિયો બન્યો મુસીબતનું કારણ

મુંબઈ: હાસ્ય કલાકારો સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલે પર તેમના લગ્નના નવ દિવસ પછી  એફઆરઆઇ નોંધવામાં આવી છે. બંને પર કોવિડ ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. એવા અહેવાલો છે કે સુગંધા અને સંકેતની લગ્નના વાયરલ વીડિયોના આધારે તપાસ કરવામાં આવી રહી છે. લગ્ન સ્થળ સામે પણ તપાસના અહેવાલો મળી રહ્યા છે. સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલેએ 26 એપ્રિલના રોજ જલંધરમાં ધામધૂમથી લગ્ન કર્યા. લગ્ન બાદ તેના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. વીડિયોના આધારે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.  અહેવાલ મુજબ પોલીસ સ્ટેશન સદર ફગવારાના એસઆઈ રઘુવીરસિંહે જણાવ્યું હતું કે લગ્નના વીડિયો વાયરલ થયા છે, તેના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

(5:43 pm IST)