દેવી પાર્વતીનો રોલ મળ્યો એ આશીર્વાદ સમાનઃ મદિરાક્ષી
ટીવી પરદે આવતાં ધાર્મિક શોમાં પાત્રો ભજવતાં કલાકારો બહુ ઝડપથી લોકોમાં જાણીતા બની જતાં હોય છે. સોની ટીવી પરના શો વિઘ્નહર્તા ગણેશમાં દેવી પાર્વતીનો રોલ ભજવી રહેલી મદિરાક્ષી મુંડલેએ કહ્યું હતું કે મને આ સિરીયલમાં પાર્વતીના રોલ માટે પસંદ કરવામાં આવી તે મારા માટે સોૈભાગ્યની વાત છે. કારણ કે ભગવાન ગણેશ મારા પ્રિય દેવતા છે. મને લાગે છે કે આવા પાત્રો જાતે તમારી પસંદગી કરતાં હોય છે, તમે એ પાત્રને પસંદ નથી કરતાં. હું તો પાર્વતી દેવીનો રોલ મારા માટે આશીર્વાદ સમાન સમજુ છું. હું સમગ્ર ટીમની આભારી છું કે કોવિડના સમયમાં પણ સુરક્ષીત રહીને મને કામ કરવા માટે સુરક્ષીત માહોલ આપ્યો. મદિરાક્ષી કહે છે પોૈરાણીક પાત્ર ભજવતી વખતે તમારી સામે અનેક પડકાર હોય છે. તમારે તમારી એવી છબી રજૂ કરવાની હોય છે જે દર્શકોના દિલ-દિમાગમાં હોય છે. પ્રિય દેવી દેવતાઓની વાત હોય ત્યારે લોકો ભાવનાત્મક રીતે તેની સાથે જોડાયેલા હોય છે. આવા જોનરના શોમાં ખુબ ભવ્યતા દેખાડવાની હોય છે. મદિરાક્ષીને બીજા શોની અને ઓટીટી પ્લેટફોર્મની ઓઃરો પણ મળી રહી છે.