સેટ પર નેહાજી માતા જેવો જ પ્રેમ આપે છેઃ આયુધ
બાળ કલાકાર આયુધ ભાનુશાળી હાલમાં દૂસરી મા નામના શોમાં ક્રિષ્ણાનું પાત્ર ભજવીને દર્શકોનું દિલ જીતી રહ્યો છે. આ અગાઉ આયુધ એક મહાનાયક-ડો. બી. આર. આંબેડકરમાં ઉમદા અભિનયથી ટીવી પરદે જાણીતો બન્યો હતો. તે કહે છે દુસરી મા નામના શોમાં દિગ્દર્શક ઇમ્તિયાઝજી સાથે કામ કરવા મળતાં હું ખુબ ખુશ છું. શોમાં નેહા જોષી મારી સાવકી માતા બની છે. અગાઉ પણ હું નેહાજી સાથેકામ કરી ચુક્યો છે. બીજી વખત તેમની સાથેકામ કરવાની તક મળતાં તેમનીપાસેથી અભિનયના વધુ ગુણ શીખવાન મળી રહ્યા છે. એક માતાની જેમ જ તેઓ સેટ પર મારુ ધ્યાન રાખે છે. આયુધ કચ્છનો વતની છે. તે કહે છે મને ત્યાંની મીઠાઇઓ ખુબ ભાવે છે. મોટો થઇને હું ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરીશ. મને ડાન્સ અને એક્ટીંગમાં પહેલેથી રસ રહયો છે. મારા આ શોખને લીધે ઘણા રિયાલટી શોમાં પણ ભાગ લીધો હતો. મને ચંદ્રકાંતા-એક માયાવી પ્રેમગાથા શો મળ્યો હતો. ત્યાર પછી ઇશ્કબાઝમાં પણ તક મળી હતી.