બે અઠવાડીયામાં શ્રધ્ધાની બે ફિલ્મો
શ્રધ્ધા કપૂરની પ્રભાસ સાથેની સાહો રિલીઝ થઇ ચુકી છે. હવે આ અઠવાડીએ તેની સતત બીજી ફિલ્મ આવી રહી છે. સાહો ફિલ્મને મિશ્ર પ્રતિભાવ મળ્યા છે. શ્રધ્ધાએ ફિલ્મમાં એકશન દ્રશ્યો પણ આપ્યા છે. હવે તેની ફિલ્મ 'છિછોરે' રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સુશાંતસિંહ રાજપૂત છે. શ્રધ્ધા હાલમાં છિછોરેનું પ્રમોશન કરી રહી છે. કોલેજ કલ્ચરની કહાની આ ફિલ્મમાં છે. શ્રધ્ધાએ પ્રમોશન વખતે કહ્યું હતું કે અભિનય કરવા માટે મેં કોલેજનું ભણતર અધુરૂ છોડી દીધું હતું. મારી ઇચ્છા તો અભ્યાસ પુરો કરવાની હતી. પણ ઓડિશનની ઓફર્સ આવવા માંડતા અમેરિકાના બોસ્ટનની કોલેજ છોડીને મુંબઇ આવી ગઇ હતી. છિછોરેના નિર્દેશક નિતેશ તિવારી છે. વરૂણ શર્મા, નવીન પોલિશેટ્ટી, પ્રતિક બબ્બર, તુષાર પાંડે, તાહિર ભસીન પણ આ ફિલ્મમાં છે. આ શુક્રવારથી ફિલ્મ રિલીઝ થઇ રહી છે.