હું પાગલપનનો ભાગ બનવા નથી ઇચ્છતીઃ કવિતા
ટીવી શો એફઆઇઆરમાં ઇન્સ્પેકટર ચંદ્રમુખી ચોૈટાલાનો રોલ નિભાવી ઘર-ઘરમાં જાણીતી બનેલી કવિતા કોૈશીક હાલમાં નાટકમાં કામ કરી રહી છે. તે કહે છે અગાઉ પણ મને નાટકોની ઓફર મળતી હતી પણ ટીવીના કામને કારણે તે ના કહી દેતી હતી. હાલમાં તે પજામા પાર્ટી નામનું નાટક કરી રહી છે. તે કહે છે અગાઉ મને અમુક નાટકો ઓફર થયા હતાં, પણ તેમાં જોઇએ તેવી કોમેડી નહોતી. પજામા પાર્ટીની સ્ક્રિપ્ટ મને ખુબ ગમતાં હું તેમાં કામ કરવા રાજી થઇ ગઇ હતી. કવિતા કહે છે દર્શકોએ રિયાલીટી શોમાંથી પોતાનું ધ્યાન હટાવવું જરૂરી છે. હું આવા પાગલપનનો ભાગ બનવા ઇચ્છતી નથી. આવા રિયાલીટી શો અમુક લોકો જોવે તે ઠીક છે. કવિતાએ કોલેજના દિવસો યાદ કરતાં કહ્યું હતું કે ગાજીયાબાદથી સિવિલ લાઇન્સ સુધી બસમાં સફર કરતી હતી. એ સફરે મને મજબૂત બનાવી હતી. ત્યારે મેટ્રો અને કેબની વ્યવસ્થા પણ નહોતી. મારી કોલેજની જિંદગી ખુબ દિલચશ્પ હતી.