News of Tuesday, 5th June 2018
નિર્દેશક રાજા કૃષ્ણ મેનનની ફિલ્મમાં શાહિદ કપૂર કરશે બોક્સરની ભૂમિકા
મુંબઈ :બ્લોકબ્લસ્ટર 300 કરોડી ફિલ્મ પદ્માવદ બાદ શાહિદ કપૂર એક પછી એક ફિલ્મમો સાઈન કરી રહ્યો છે. એરલિફ્ટના નિર્દેશક રાજા કૃષ્ણ મેનને પોતાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂરને ફાઈનલ કર્યો છે.
આ એક સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ હશે. જેમાં શાહિદ એક બોક્સરની ભૂમિકા નિભાવશે. જો કે હાલ તો રાજા કૃષ્ણ મેનન કોઈ બોક્સરન કોચની શોધમાં છે જે શાહિદ કપૂરને 3 મહિનાની ટ્રેનિંગ આપી શકે.
(11:10 pm IST)