ફિલ્મ જગત
News of Tuesday, 4th December 2018

અનિલ કપૂરની સુપરહિટ ફિલ્મ 'નાયક'ની બનશે સિક્વલ: તૈયારી શરૂ

મુંબઇ: અનિલ કપૂરની ૨૦૦૧ નીસાલમાં રીલિઝ થયેલી ફિલ્મ 'નાયક બોક્સઓફિસ પર સફળ થઇ હતી. આ ફિલ્મનો વિષય પણ દર્શકોએ અપનાવ્યો હતો. ઘણા વરસોથીઆ ફિલ્મની સિકવલ બનશે તેવી વાતો ચર્ચાતી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન શંકરનનું હતું. હવે ફિલ્મસર્જક શંકરનું કહેવું છે કે અનિલ કપૂર પાસે 'નાયક ૨ માટેનો વિષય છે. '' હા, તેણે મારી સાથે વાતચીત કરી છે. અનિલ સરે મને કહ્યું છે કે, તેની પાસે નાયકની સિકવલ બનાવાનો આઇડિયા છે. જોકે હું ૨.૦ ફિલ્મમાં વ્યસ્ત હોવાથી આ મુદ્દે વધારે વાતચીત કરી શક્યો નથી. જો નાયક ૨ ની સ્ટોરી પણ ઇન્ડિયન ૨ જેવી ડેવલપ થયેલી હશે તો હું ચોક્કસ આ ફિલ્મ બનાવીશ'' તેમ દિગ્દર્શક શંકરે જણાવ્યું હતું.ફિલ્મ નાયક એક સામાન્ય યુવક પર આધારિત ફિલ્મ હતી.જે મુખ્ય પ્રધાનને પડકાર આપે છે અને એક દિવસ માટે મુખ્ય પ્રધાનની ખુરશી પર બેસીને ફરજ બજાવે છે. એક જ દિવસમાં તે સામાન્ય લોકોની તરફેણ કરીને લોકોનું દિલ જીતી લે છે. પરિણામે લોકો તેને રાજકારણમાં ઝંપલાવાની સલાહ  આપે છે. આ ફિલ્મમાં સામાન્ય યુવકનું પાત્ર અનિલ કપૂરે ભજવ્યું હતું જ્યારે મુખ્ય પ્રધાન તરીકે અમરિષ પુરીની ભૂમિકા હતી. 

(4:23 pm IST)