સખ્ત મહેનત કરવા તૈયાર છે અલાયા
બોલીવૂડની નવોદિત અભિનેત્રી અલાયા ફર્નિચરવાલા તેની પહેલી ફિલ્મ 'જવાની જાનેમન'થી ચર્ચામાં છે. અલાયાએ પોતાના સહજ અભિનયથી લાખો ફિલ્મી ચાહકોના દિલ જીતી લીધા છે. તાજેતરમાં અલાયાએ કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ પર લોકોને વધુને વધુ આશા હશે. આ કારણે મારા પર વધુ સારુ કામ કરવાનું દબાણ પણ રહેશે. આ દબાણ હું હમેંશા મારા ઉપર હાવી થવા દઉ છું અને એને સહજતાથી લઉં છું. આવું થશે તો જ હું વધુ સારુ કામ કરી શકીશ. લોકોએ મને મારી પહેલી ફિલ્મ માટે ખુબ પ્રેમ આપ્યો છે અને હવે મને વિશ્વાસ અને આશા છે કે બીજી ફિલ્મને પણ વધુ પસંદ કરવામાં આવશે.
હું સખ્ત મહેનત કરવા માટે તૈયાર છું. અલાયાએ લોકડાઉનમાં પુસ્તકો વાંચ્યા હતાં, ફિલ્મો જોઇ હતી અને વર્કઆઉટ કરીને વ્યસ્ત રહી હતી. હાલમાં જ અલાયાએ ઇંસ્ટાગ્રામ પર સિરીઝ 'અલાયા એફ' શરૂ કરી છે. જેમાં તે પોતાના ફોલોઅર્સ સાથે ફિટનેસ અને દિનચર્યાની વાતો કરે છે. અલાયાની પહેલી ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર પણ રિલીઝ થઇ હતી.