ફિલ્મ જગત
News of Monday, 3rd May 2021

ટીવી પરદે આવ્યા પછી જ મને સાચી ઓળખ મળીઃ એરિકા

અભિનેત્રી એરિકા ફર્નાન્ડીઝે ટુંકા ગાળામાં જ ટીવી પરદે નામના કરી લીધી છે. તેની ખ્યાતિ ભલે તેના અભિનયને કારણે હોય પરંતુ ટીવી પરદે આવ્યા પછી તેને વધુ લાભ થયો છે અને તેનો આત્મવિશ્વાસ પણ ખુબ વધ્યો છે. એરિકા કહે છે કે મારું વ્યકિતત્વ આટલુ મજબુત છે અને આત્મવિશ્વાસ પણ બુલંદ છે તે મને ટીવી પરદે આવ્યા પછી જાણવા મળ્યું છે. અહિ આવ્યા પછી જ મારો આત્મવિશ્વાસ ખુબ વધ્યો છે એવું કહેવામાં ખોટુ નથી. મારે કયાં પહોંચવું છે, કયા માર્ગ પર ચાલવું છે અને શું મેળવવું છે એ ટીવી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી જ જાણવા મળ્યું છે. અહિ આવીને હું મુકત વિચારસરણી ધરાવતી થઇ છું. એરિકાએ પ્રારંભે મોડેલ તરીકે ગ્લેમર વર્લ્ડમાં કામ કર્યુ હતું. ટીવી શો કુછ રંગ પ્યાર કે ઐસે ભી થકી ટીવી પરદે શરૂઆત કરી હતી. એ પછી તેને કસોૈટી જિંદગી કી-૨ થકી ઘર ઘરમાં ઓળખ મળી છે. એરિકાએ બે મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યુ છે. હવે તેના હાથ પર બીજા પણ અનેક પ્રોજેકટ છે.

(9:48 am IST)