ફિલ્મ જગત
News of Wednesday, 2nd December 2020

તારક મેહતા ,,ના સેટ પર ફરી થશે નટુકાકાની એન્ટ્રી : 76 વર્ષના નટુ કાકા થયા કેન્સરમુકત

જેઠાએ કહ્યું હતું કે ગડા ઇલેક્ટ્રોનિક તમારી રાહ જોવે છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાનો રોલ કરનાર ઘનશ્યામ નાયક હવે સ્વસ્થ છે અને ફરી સેટ પર પરત ફરવા માંગે છે. સપ્ટેમ્બર મહિનામાં તેમના ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ અને કેટલીક ગાંઠો કાઢવામાં આવી હતી. હવે તેમની હાલત સુધારા પર છે અને સેટ પર પાછા ફરવા માંગે છે

ઘનશ્યામ નાયકે જણાવ્યું કે, હવે હું ફીટ છુ અને મેકર્સ મને પાછો બોલાવે તેની જ રાહ જોઇ રહ્યો છું.

હું શૉ અને મેમ્બર્સને ખૂબ જ યાદ કરુ છું. ટીમ મેમ્બર્સ પણ મારી આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. મારી હાલત સુધારા પર છે અને જો મેકર્સ મને પરત બોલાવી લેશે તો 7-10 દિવસની અંદર શૂટ શરૂ કરી દઇશ.

ઘનશ્યામ નાયકે વધુમાં જણાવ્યું કે, ટીમ મેમ્બર્સે હાલમાં જ મારા ફોટો ક્લિક કર્યા હતા અને તેમને હું સંપૂર્ણ રીતે સ્વસ્થ લાગ્યો હતો. મારે દિલીપ જોષી એટલે જેઠાલાલ સાથે ફોન પર વાત થાય છે. જેઠાએ કહ્યું હતું કે ગડા ઇલેક્ટ્રોનિક તમારી રાહ જોવે છે. બસ મને માત્ર એટલો જ ડર છે કે સીનિયર સિટીઝનના કામ માટેના નવા નિયમ પ્રમાણે મારુ કામ અટકી ન પડે. હું ખુબ જ પોઝીટીવ છું.

ટ્રીટમેન્ટ વિશે નટુ કાકાએ કહ્યું હતું કે, કીમોથેરાપીથી લઇને રેડિયેશન સુધીની મારી તમામ સારવાર પૂર્ણ થઇ ગઇ છે. હવે હું વ્યવસ્થિત રીતે બોલી શકું છું. ઘનશ્યામ નાયક 50 વર્ષ પછી જામનગર આવ્યા હતા અને માતાજીના દર્શન કર્યા હતા.

(10:26 pm IST)