લોકોને થયું હું સાચ્ચે ટકલુ થઇ ગયોઃ કૃણાલ સલુજા
સોની ટવી પરના કોમેડી શો સરગમ કી સાઢે સાતીમાં સરગમની ભુમિકા અંજલી તિવારીએ નિભાવી છે. જ્યારે અભિનેતા કૃણાલ સલુજાએ સરગમના પતિનો રોલ નિભાવ્યો છે. તેની ઇચ્છા એક અભિનેતા બનવાની છે. પરંતુ અહિ તે નિષ્ફળ નિવડતાં વિચીત્ર વિજ્ઞાપનોમાં કામ કરવા માંડે છે. ચંપક સાબુ, ડારગોન શેમ્પુ...જેવી બ્રાન્ડને કારણે તે ટકલુ થઇ જાય છે. કૃણાલના પાત્રનું નામ અપારશકિત અવસ્થી છે.
મેં આ પાત્રના મારા ટકલુ લૂકની તસ્વીરો વિડીયો પોસ્ટ કર્યા તો લોકોએ અજબ ગજબની પ્રતિક્રિયાઓ આપી હતી. કારણ કે તેઓને લાગ્યું હતું કે હું સાચ્ચે જ ટકલુ થઇ ગયો છું. મને સોૈથી વધુ પ્રેમ મારા વાળ સાથે છે. કારણ કે તે મારા લૂકને નિખારવામાં મદદ કરે છે, મારો આત્મવિશ્વાસ વધારે છે. સરગમ અપારશકિત સાથે લગ્ન કરે છે તો તેનું કારણ પણ તેના વાળ હોય છે. પરંતુ અખતરા કરવામાં અપારશકિતના વાળ ખરી જાય છે. પછી જે થાય છે એ ખુબ હસાવે છે.