આ પાત્ર ભજવવું અવિશ્વસનીય અનુભવ રહ્યોઃ આર. માધવન
અભિનેતા આર. માધવને સાઉથ ઉપરાંત હિન્દી સિનેમા ઇન્ડસ્ટ્રીમાં અસંખ્ય ચાહકો ઉભા કરી રાખ્યા છે. ફિલ્મો ઉપરાંત વેબ સિરીઝમાં તે જબરદસ્ત કામ કરી રહ્યો છે. કોમેડી અંગે આર. માધવને કહ્યું હતું કે કોમેડી કરવા માટે કલાકારોમાં કોમિક ટાઇમીંગ પરફેકટ હોવું ખુબ જરૂરી છે. આર. માધવન અને સુરવીન ચાવલા કોમેડી ડ્રામા 'ડી કપલ્ડ'માં દેખાવાનાં છે. આર. માધવન આર્યની ભૂમિકામાં અને સુરવીન શ્રુતિનું પાત્ર ભજવતી દેખાશે. આ શોમાં અતુલ કુમાર અને સિદ્ધાર્થ શર્મા પણ જોવા મળશે. નેટફિલકસ પર ૧૭ ડિસેમ્બરે આ શો રિલીઝ થવાનો છે.
આર. માધવને કહ્યું હતું કે કલાકારોમાં સચોટ ટાઇમીંગ, બેલેન્સ અને રિધમ હોય તો કોમેડીમાં તે લોકોને હસાવી શકે છે. કલાકારમાં એવી પર્સનાલિટી પણ હોવી જોઇએ. આર્યનું પાત્ર ટાઇમિંગ તથા બેલેન્સની સાથે ભજવવું એ મારા માટે અવિશ્વસનીય અનુભવ રહ્યો છે.