સૌથી સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાયએ ઉજવ્યો ૪૬મો જન્મદિવસ
મુંબઇ તા. ૧: બોલિવૂડની સૌથી સુંદર મહિલાઓમાંની એક અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન આજે તેનો ૪૬ મો જન્મદિવસ મનાવી રહી છે. ઐશ્વર્યાનો જન્મ ૧ નવેમ્બર ૧૯૭૩માં મેંગલુરૂમાં થયો હતો. ૨૦ એપ્રિલ ૨૦૦૭ ના રોજ એશે બોલિવૂડના સમ્રાટ અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક સાથે લગ્ન કર્યા છે. સામાન્ય રીતે અભિનેત્રી લગ્ન પછી ફિલ્મી કરિયરને બ્રેક આપે છે, પરંતુ પુત્રીના જન્મ પછી પણ ઐશ્વર્યાએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યુ નહોતું. આરાધ્યાના જન્મ પછી પણ તે ચાર ફિલ્મોમાં જોવા મળી હતી.ઙ્ગ૨૦૧૫માં રિલીઝ થયેલી જઝબા પુત્રીના જન્મ પછીની કમબેક ફિલ્મ હતી, ૨૦૧૬માં રિલીઝ થયેલી સરબજીત ફિલ્મમાં તેણે ખાસ ભૂમિકા ભજવી હતી. એ પછી એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મમાં તે રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ બની હતી અને ૨૦૧૮માં રિલીઝ થયેલી ફન્નેખાં ફિલ્મમાં પણ રાજકુમાર રાવ સાથે તેની કેમિસ્ટ્રી જોવા મળી હતી.
ઐશ્વર્યા રાય ફિલ્મ સાથે સાથે તેના ફિગરનું પણ ધ્યાન રાખે છે. તે ડાયેટ પ્લાન પણ ફોલો કરી રહી છે. આ કારણે તે ૪૬ વર્ષની ઉંમરે અને માતા બન્યા પછી પણ સુંદર અને ફીટ રહી શકી છે. ઐશ્વર્યા હજી પણ એટલી જ સુંદર છે જેટલી તે તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં હતી. તેમની સુંદરતા માટે તમામો ચાહકો તેની પાછળ પાગલ હોય છે. તેની વાદળી આંખો અને તેના સૌંદર્ય પર અસંખ્ય ચાહકો પાગલ છે.
મિસ ઈન્ડિયા ઐશ્વર્યા રાયને ૧૯૯૪માં મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ઐશ્વર્યા રાય પરિવાર સાથે મુંબઈમાં બર્થડે સેલિબ્રેટ કરતી હોય છે અથવા તો વિદેશમાં પતિ-દિકરી સાથે કવોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી હોય છે. આ વખતે ઐશ્વર્યા રાય તથા અભિષેકે પ્રોફેશનલ કમિટમેન્ટ્સમાંથી બ્રેક લઈને વિદેશમાં જન્મદિવસ ઉજવવા જવાના હતાં.