ફિલ્મ સંદીપ ઔર પિન્કી ફરાર ફિલ્મની રિલિઝ ડેટમાં થયો ફેરફાર
મુંબઇ:યશ રાજની આગામી ફિલ્મ સંદીપ ઔૈર પિન્કી ફરાર ફિલ્મની રિલિઝ ડેટને લંબાવવામાં આવી હોવાની જાણકારી મળી હતી.
અગાઉ જાહેર થયા મુજબ આ ફિલ્મ ચાલુ વર્ષના ઑગષ્ટની ત્રીજીએ રજૂ થવાની હતી પરંતુ એ પોસ્ટપોન કરીને હવે આવતા વર્ષના માર્ચમાં આ ફિલ્મ રજૂ કરવાની જાહેરાત યશ રાજ દ્વારા કરવામાં આવી હતી. યશ રાજે ટ્વીટર પર મૂકેલા સંદેશામાં જણાવ્યા મુજબ 'હવે સંદીપ ઔર પિન્કી ફરાર આવતા વર્ષના માર્ચની પહેલીએ રજૂ થશે... આ ફિલ્મમાં અર્જુન કપૂર અને પરિણિતી ચોપરા ચમકી રહ્યાં છે... દિબાકર બેનરજી એના ડાયરેક્ટર છે. ત્યારબાદ અર્જુન કપૂરે પણ આવા મતલબની ટ્વીટ કરી હતી અને આ સમાચારને સમર્થન આપ્યું હતું. એણે ઉમેર્યું હતું કે કેટલીક સ્ટોરીઝને વ્યવસ્થિત માવજતની જરૃર હોય છે. આ ફિલ્મની સ્ટોરી પણ એવી છે એટલે એને વ્યવસ્થિત મઠારવા સમયની જરૃર હતી.
દિબાકરે કહ્યકે આ ફિલ્મમાં બે ભારત રજૂ થયાં છે અને દર્શકો સુધી બંનેની વાત પહોંચે એ માટે સ્ટોરીને વ્યવસ્થિત રીતે રજૂ કરવાની જરૃર ઊભી થઇ હતી એટલે અમારે રિલિઝ ડેટ લંબાવવાની ફરજ પડી હતી.