અનુપમા સિરીયલમાં નવો વળાંકઃ સમરઍ વેલનેસ સેન્ટરમાં અનુપમાનું નવુ ઘર તૈયાર કયુ
નવી દિલ્હી: ટીવી સીરિયલ 'અનુપમા'ના નિર્માતાઓ કહાનીને વધુને વધુ રસપ્રદ બનાવી રહ્યા છે. શોમાં દરરોજ એક નવા વળાંક આવે છે. હવે સમર એ વેલનેસ સેન્ટરમાં જ અનુપમાનું નવું ઘર તૈયાર કર્યું છે. સમર અને વનરાજ સિવાય આખું શાહ પરિવાર પણ વેલનેસ સેન્ટરમાં પહોંચી ગયો છે. ડોક્ટર અદ્વૈતના વેલનેસ સેન્ટરમાં પણ હવે બધા રહેશે.
સામે આવશે સત્ય
આ બધા વચ્ચે હજુ સુધી અનુપમાથી તમામ પરિવારના સભ્યોએ તેની બીમારીનું સત્ય છુપાવ્યું છે, પરંતુ આ સત્ય વધારે દિવસ છુપાશે નહીં. અનુપમાને બીમારીની ભનક લાગી જશે. આવતા એપિસોડમાં અનુપમાને ડોક્ટર અદ્વૈત બીમારી વિશે તમામ સત્ય જણાવી દેશે. ડોક્ટર અદ્વૈત અનુપમાને કહેશે કે તેને ગર્ભાશયમાં કેન્સર છે. આ સાંભળીને અનુપમા સ્તબ્ધ થઈ જશે.
રડવા લાગશે અનુપમા
અનુપમા વિચારમાં ડૂબી જશે, વિચારી કરવા લાગશે કે કદાચ આ જ કારણે લોકો તેની સંભાળ લઈ રહ્યા છે. અનુપમાને લાગશે કે તેના વગર તેનો પરિવાર તૂટી જશે. પરેશાન થઈ અનુપમા રડવા લાગશે.
વનરાજ ભડક્યો
આગામી એપિસોડમાં, તે બતાવવામાં આવશે કે અનુપમા પરિવારજનોથી પોતાની નારાજગી વ્યક્ત કરશે. તેણી દુ:ખ વ્યક્ત કરશે કે લોકો તેની બીમારી અને મોતની વાત પર પરદો નાખી રહ્યા છે. અનુપમાના મોતની વાત સાંભળીને વનરાજ ગુસ્સે થઈ જશે અને અનુપમાને ઠપકો આપવામાં લાગશે.
વનરાજને લાગ્યો શોક
અગાઉ બતાવવામાં આવ્યું હતું કે અનુપમા વનરાજની શોધમાં ડોક્ટર અદ્વૈતના વેલનેસ સેન્ટર પર પહોંચે છે, જ્યાં તેની તબિયત વધુ બગડે છે. આવી સ્થિતિમાં ડોક્ટર અદ્વૈત વનરાજને અનુપમાની બીમારી વિશે જણાવે છે, તે જાણીને કે તેને શોક લાગે છે.