Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

લગ્નને લઈને થઇ રહેલ અફવાઓ પર પરિણીતી ચોપરાએ આપ્યું બયાન

મુંબઈ:પ્રિયંકા ચોપરાનાં લગ્ન બાદ તેની કઝીન પરિણીતી ચોપરા પણ લગ્ન કરી રહી છે એવા સમાચારોને પરિણીતી ચોપરાએ ટ્વિટર પર ખોટા ગણાવ્યા છે. પરિણીતીએ જણાવ્યું હતું કે, હું જ્યારે લગ્ન કરીશ ત્યારે હું આનંદપૂર્વક તેની જાહેરાત પણ કરીશ. એક અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે પરિણીતી હાલ ચરિત દેસાઈ નામના એક યુવાન સાથે ડેટ કરી રહી છે અને તેની સાથે લગ્ન કરી શકે છે. પરિણીતી અને ચરિત વચ્ચે ૨૦૧૬માં સંબંધો બંધાયા હતા. ચરિત દેસાઈએ રિતિક રોશનની ફિલ્મ અગ્નિપથ માટે કરણ મલ્હોત્રાના આસિસ્ટન્ટ રહી ચૂક્યો છે.

(4:49 pm IST)