Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

દીપિકા પાદુકોણે ફિલ્મ મહાભારતમાં કામ કરવાની કહી ના

મુંબઈ: લોકપ્રિય અભિનેત્રી દિપિકા પાદુકોણે નવી ફિલ્મ મહાભારતમાં કામ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ફિલ્મમાં મહત્વપૂર્ણ રોલની ઓફર કરવામાં આવી હોવા છતાં તેને ઇન્કાર કરી દીધો છે. આ ફિલ્મમાં તે આમીર ખાનની સાથે કામ કરનાર હતી. જો કે ફિલ્મમાં દ્રોપદીની ભૂમિકા કરવાનો દિપિકાએ ઇન્કાર કેમ કર્યો છે તે અંગે હજુ માહિતી મળી શકી નથી. હાલમાં દિપિકા મેઘના ગુલઝારની એક ફિલ્મમાં કામ કરી રહી છે. જે એસિડ હુમલાનો શિકાર થયેલી યુવતિ પર આધારિત છે. લક્ષ્મી અગ્રવાલની લાઇફ પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. મહાભારત જેવી મોટી ફિલ્મમાં દિપિકાએ કામ કરવાનો ઇન્કાર કેમ કરી દીધો છે તે અંગે હાલમાં માહિતી મળી શકી નથી. હાલમાં જ દિપિકાએ બોલિવુડના આશાસ્પદ સ્ટાર રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા હતા. રણવીર અને દિપિકાએ ઇટાલીમાં જઇને લેક કોમોમાં લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ દિપિકાએ ભારતમાં ચાર જુદા જુદા સ્થળો પર ભવ્ય પાર્ટીનુ આયોજન કર્યુ હતુ. જો કે દિપિકા હવે ફરી કામ પર પરત ફરી છે. બીજી બાજુ રણવીર સિંહ પણ હવે કામ પર પરત ફર્યો છે. તે હાલમાં રોહિત શેટ્ટીની નવી ફિલ્મ સિમ્બામાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરવામાં આવ્યુ છે. દિપિકાએ રણવીર કપુર સાથે લગ્ન પહેલા અનેક હિટ ફિલ્મમાં ભૂમિકા અદા કરી હતી. જેમાં બાજીરાવ મસ્તાનીનો સમાવેશ થાય છે. દિપિકા બોલિવુડમાં નંબર વન સ્ટાર તરીકે ઉભરી હતી. જ્યારે લગ્ન કર્યા ત્યારે દિપિકાની બોલિવુડમાં સૌથી વધારે ડીમાન્ડ હતી. બીજી બાજુ રણવીર સિંહને પણ સારી સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. સિમ્બા બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થવાની દિશામાં આગળ વધી શકે છે. કારણ કે રોહિત શેટ્ટીની ફિલ્મો પહેલા પણ હિટ રહી છે. આવી સ્થિતીમાં સિમ્બા પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવે છે.

(7:32 pm IST)