Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

આનંદ એલ રાયે પાંચ પ્રોજેક્ટ માટે અભિષેક બચ્ચને કર્યો સાઈન

મુંબઈ:ફિલ્મ સર્જક આનંદ એલ રાયે અભિનેતા અભિષેક બચ્ચનને પોતાના ચાર પાંચ નવા પ્રોજેક્ટ માટે સાઇન કર્યો હોવાની જાણકારી મળી હતી. અભિષેક માટે મનમર્ઝિયાં ફિલ્મ સ્વીકારવાનો નિર્ણય રીતે શુકનિયાળ સાબિત થયો હતો. હાલ અભિષેકની અભિનય કારકિર્દી ડામાડોળ રહેતી હતી. એમાંય જે પી દત્તાએ પોતાની પલટન ફિલ્મમાંથી એને પડતો મૂક્યો ત્યારે અભિષેક હેબતાઇ ગયો હતો અને ખુદ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના મિત્ર નિર્દેશકોને કહેવું પડયુ ંહતું કે અભિષેકની અભિનય કારકિર્દી બચાવવામાં મદદ કરો. એવામાં અભિષેકે અનુરાગ કશ્યપની મનમર્ઝિયાં સ્વીકારી હતી જેમાં એના કામને જોઇને ટોચના ફિલ્મ સર્જક આનંદ એલ રાય પ્રભાવિત થયા હતા. અભિષેકની છેલ્લી ફિલ્મ હાઉસફૂલ ફોર ૨૦૧૬માં આવી હતી. ત્યારબાદ સાવ નવરોધૂપ થઇ ગયો હતો કારણ કે એની પાસે કોઇ ફિલ્મનું કામ નહોતું. એના કામથી પ્રભાવિત થઇને આનંદ એલ રાયે એને એક સાથે ચાર પાંચ ફિલ્મમો માટે સાઇન કર્યો હતો. કરાર ૨૦૧૯થી અમલમાં આવશે. દરમિયાન, સંજય લીલા ભણસાલી પણ ટોચની પંજાબી કવયિત્રી અમૃતા પ્રીતમ અને ફિલ્મ ગીતકાર સાહિર લુધિયાનવીની લવ સ્ટોરીની ફિલ્મ માટે અભિષેક બચ્ચનને સાઇન કરી રહ્યા હોવાની જાણકારી મળી હતી. અમૃતા પ્રીતમ તરીકે કદાચ આલિયા ભટ્ટ સાઇન થશે એવી માહિતી પણ મળી હતી.

(4:13 pm IST)