Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

પુત્રી ન્યાસા માટે અજય-કાજોલે સિંગાપુરમાં ખરીદ્યુ મકાન

મુંબઈ : બોલિવુડ અભિનેતા અજય દેવગણ અને અભિનેત્રી કાજોલે પુત્રી ન્યાસા માટે સિંગાપુરમાં મકાન ખરીદ્યુ છે. બન્ને ઈચ્છે છે કે સિંગાપુરમાં અભ્યાસ કરી રહેલ તેમની પુત્રી મકાનમાં રહે. ઘણા સમયથી બૉલીવુડ જોડી પુત્રી માટે સિંગાપુરમાં મકાનની શોધખોળ કરી રહી હતી. સિંગાપુરના ઓર્કિડ રોડ પર તેઓએ એક એપાર્ટમેન્ટમાં મકાન લીધું છે. વિસ્તાર એક પોશ છે જેથી મકાનની કિંમત પર ખુબ ઊંચી હોવાનું જાણવા મળ્યું છે ન્યાસા સિંગાપુરની જાણીતી યુનાઇટેડ વલ્ર્ડ કોલેજ ઓફ સાઉથ ઇસ્ટ એશિયામાં અભ્યાસ કરે છે.

(3:05 pm IST)