Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

બોલીવૂડમાં ચાન્સ નહિં મળતા પર્લ પંજાબીએ જીવ દઈ દીધો

મુંબઈ : બોલીવૂડમાં તક મળે એ માટે પ્રયત્ન કરનારી એક ઉભરતી અભિનેત્રીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. અંધેરીના ઓશીવારામાં આ ઘટના બની છે. ગુરૂવારે રાત્રે મકાનની અગાસી પર જઈ તેણે આત્મહત્યા કરી લીધી હતી. પર્લ પંજાબી તરીકે તેની ઓળખ થઈ છે.

ફિલ્મોમાં કામ મળે એ માટે છેલ્લા ઘણા સમયથી તે પ્રયત્ન કરતી હતી. જો કે તેને તક મળી જ નહિં એવુ પોલીસે જણાવ્યુ હતું. મકાનના સિકયોરીટી ગાર્ડ બીપીનકુમારે આપેલી માહિતી પ્રમાણે રાત્રે સવા બારથી સાડાબારની વચ્ચે આ ઘટના બની હતી. કંઈક અવાજ થયો. મને થયુ કે રસ્તા પર કોઈ ઝઘડો કરે છે. શું થયુ એ જોવા માટે હું ગયો હતો. પાછો આવ્યો ત્યારે પર્લ પંજાબી રહેતી હતી એ ત્રીજે માળેથી મોટા મોટા અવાજ સાંભળ્યા.

પર્લ પંજાબી માનસીક તાણમાં હતી. માતા સાથે તેના વારંવાર ઝઘડા થતા હતા. આ અગાઉ પણ બે વાર તેણે આત્મહત્યાના પ્રયાસ કર્યા હતા એવી માહિતી પોલીસે આપી હતી.

(1:05 pm IST)